નાંદોદ તાલુકાના ઉમરવા ગામે કાકાની દીકરી સાથે બળાત્કાર ગુજારનાર નરાધમને અદાલતે ૨૦ વર્ષની સજા ફટકારી

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

કોરોના કાળ દરમિયાન લોકડાઉન સમયે સગીરા ના ઘરે અવારનવાર આવી બળાત્કાર કરી ગર્ભવતી બનાવી

સગીરા એ બાળકને જન્મ પણ આપ્યો અદાલતે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સજા ફટકારતા ચકચાર

નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ઉમરવા ગામે સગા વાળાના દીકરાએ તેના કાકાની દીકરી સાથે તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારી સગીરાને ગર્ભવતી બનાવતા અને ગર્ભધારણ બાદ સગીરા એ બાળકને જન્મ પણ આપતા આ સમગ્ર પ્રકરણ આજરોજ રાજપીપળા ની અદાલતમાં ચાલી જતા અદાલતે નરાધમ યુવાન ને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5,000 નો દંડ ફટકારતા ભારે ચકચાર મચી જવા પામી છે.

નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલેલ પોકસો કેસ ના કામના આરોપી (૧) નરેન્દ્રભાઈ ઉર્ફે ભયજી ખોડાભાઈ વસાવા રહે.ઉમરવા ટાંકી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદાનાઓને ઈ.પી.કો. કલમ ૩૭૬(૨) (જે)(એન)(૩) તથા પોકસો અધિનિયમ કલમ-૪,૬ મુજબના શિક્ષાપાત ગુનાના કામે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો ને અદાલતે ગ્રાહ્ય રાખી એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકી સાહેબે આરોપી ને કલમ-૩૭૬(૨), (જે), (એન), (૩) મુજબના ગુના મા ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦/- ના દંડની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે ભોગબનનાર ગયા વર્ષ ઉતરાયણ પછી પોતાના ઘરે ખાટલમાં સુતા સુતા ટી.વી જોતી હતી ત્યારે આરોપી ભોગ બનનારના સગા વાડાનો દિકરો થતો હોય તે આવી ભોગબનનારને તેનો ભાઈ કયાં છે.?તેમ પુછતા ભોગબનનાર દ્વારા પોતાનો ભાઈ બહાર ગયેલ હોવાનું જણાવતા આરોપી ઘરમાં જઈ ભોગબનનાર સાથે ખાટલા ઉપર બેસી ટી.વી.જોવા લાગેલો અને ટી.વી. જોતાં જોતાં આરોપી દ્રારા ભોગબનનારના કપડા કાઢવા લાગતાં ભોગબનનાર દ્રારા નરેન્દ્રભાઈ આવું કેમ કરો છો? તેમ કહી આવું નહી કરવાનું તેમ કહેવા છતાં ભોગબનનાર ના કપડા કાઢી સગીરવયની ભોગ બનનાર યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી આ વાતની જાણ કોઈને નહી કરવા જણાવી ત્યાર બાદ લોકડાઉનના વખતે આરોપી ઘરે રહેતો હોઈ અને ભોગબનનાર ધરે એકલી હોય મોકો જોઈ ભોગબનનાર સાથે તેણીની મરજી વિરુધ્ધમાં અવાર નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી આ વાતની જાણ તું કોઈને કરીશ તો બદનામી થશે તેમ કહી ભોગબનનારને ગર્ભવતી બનાવી તા.૨/૨/૨૧ના રોજ ભોગબનનારને શિશુ(બાબા)ને જન્મ આપ્યો હતો, આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેથી પોલિસે આરોપી નરેન્દ્ર ખોડાભાઇ વસાવા સામે પોકસો સહિત બળાત્કાર નો ગુનો દાખલ કર્યો હતો.

આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ ની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી નં. ને કલમ-૩૭૬(૨), (જે), (એન), (૩) મુજબના ગુના કામે ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦/- ના દંડની સજા દંડની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here