નાંદોદ, ((નર્મદા) આશિક પઠાણ :-
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સઁયોજક દ્વારા સ્વામી વિવેકાનંદ વન અભિયાન હેઠળ નાંદોદ ના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતી મા વૃક્ષારોપણ નું કાર્યક્ર્મ યોજાયુ હતું, જે પ્રસંગે જીલ્લા ભજપા મહામંત્રી નીલ રાવ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સહુને પર્યાવરણ ની જાળવણી માટે વૃક્ષો મોટી સંખ્યામાં વાવવા પ્રેરણા આપે હતી.
વૃક્ષા રોપણ ના આ આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નીલ રાવ,નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા ,નાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખ હરેશ વસાવા , ડો.રવીભાઇ દેશમુખ,તાલુકા સદસ્ય વનીતાબેન સુનિલકુમાર વસાવા ,ગામના પૂર્વ સરપંચ મઁગાભાઇ વસાવા ,જિલ્લા સઁયોજક જયદીપભાઈ પાટણવાડીયા ,તાલુકા સઁયોજક જીતીનભાઈ વસાવા અને નરેશભાઈ વસાવા અને પાટણા ગામના વડીલો ,ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષા રોપણ કર્યુ હતું.