“મોદી કી ગેરંટી” વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અભિયાન અંતર્ગત રાજપીપળા ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકસભાની ચૂંટણીમાં ભાજપાનું ઘોષણા પત્ર નહીં સંકલ્પ પત્ર- પ્રદેશ સહ પ્રવક્તા ડો. શ્રદ્ધાબેન રાજપૂત

જન સુખાકારી સાથે ઇન્ફાસ્ર્ટ્રક્ચરનો વિકાસ કરી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો વડાપ્રધાન મોદી નો સંકલ્પ – ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા  વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત આજે રાજપીપળા ખાતે ના નવનિર્મિત ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ માં જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી સહિત ગુજરાત પ્રદેશ ભાજપા ના સહ પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિકસિત ભારત સંકલ્પ પત્ર અંતર્ગત પત્રકારો સાથેની વાતચીતમાં આગામી લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર કેવી કામગીરી કરે તે માટે લોકોનો શું અભિપ્રાય છે તે જાણવા માટે ભાજપ દ્વારા સંકલ્પપત્ર અભિયાન શરૂ કરેલ છે. ત્યારે કાર્યકરોદ્વારા પ્રજા સમક્ષ જઈ ને આ સંકલ્પ   પત્ર વિષે સમજ આપવામાં આવશે.

જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ એ જણાવ્યું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડા ના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચી છે એ જ મોદીકી ગારંટી છે નાનામાં નાના વ્યક્તિ ને મોદીસાહેબ ના વચનો પર વિશ્વાશ છે.જયારે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી.માં ભારતીય જનતા પાર્ટીના સંકલ્‍પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા મોદી સાહેબે આહવાહન કર્યું છે, દેશમાં જન સુખાકારી સાથે ઇન્સ્પેક્ટરનો વિકાસ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિકસિત દેશ બનાવવાનો એક સંકલ્પ કર્યો છે અને આ સંકલ્પ નજીકના ભવિષ્યમાં સાકાર થવાનો છે નું જણાવ્યું હતું.

પ્રદેશ સહ પ્રવક્તા શ્રધાબેન રાજપૂતે સરકાર ની વિવિધ યોજનાઓ  પ્રજાએ  વિકસિત ભારત સંકલ્પ યાત્રા  માં જોઈ છે અને મોદી સાહેબની ગેરંટી થકી સરકારી યોજનાઓનો લાભ ગામડે-ગામડે લોકો સુધી પહોંચ્યો છે. માનનીય વડાપ્રધાન મોદી ના નેતૃત્વમાં સરકાર નાગરિકોના ઘર આંગણે આવીને યોજનાઓનો લાભ આપી રહી છે. નાગરિકો માંગણી કરે અને તેનો સુખદ ઉકેલ આવે એવી ઉત્તમ વ્યવસ્થાનો પાયો વડાપ્રધાન એ નાખ્યો છે, જેનો લાભ  દેશના નાગરિકોને મળી રહ્યો છે.શ્રધાબેન રાજપૂતે રાહુલ ગાંધી ની ન્યાય યાત્રાને ન્યાય યાત્રા નહિ પણ અન્યાય યાત્રા ગણાવી તેમના ધર્મ વિરોધી ટિપ્પણીઓ પર ટીકા કરી હતી.અત્યાર સુધી ભારતમાં વિકાસ થતો નહોતો હતો જે વિકાસ થઈ રહ્યો છે આ વિકાસ નો યશ મોદી સાહેબ ને જાય છે નું જણાવ્યું હતું. હવે આ સન્કલ્પ પત્ર દવારા પ્રજા ની અપેક્ષાઓપૂર્ણ  કરવા સરકાર યોજનાઓ બનાવી રહી છે. સંકલ્પ પત્ર અંતર્ગત દરેક લોકસભા એ જ વાન ફરશે જેમાં એલઇડી પણ હશે જેમાં લોકોના સૂચનો લેવા માટે વિવિધ માધ્યમોનો પણ ઉપયોગ કરાશે નમો એપ દ્વારા ઓનલાઈન તેમજ દરેક જગ્યાએ સૂચન પેટીઓ મુકાશે ભાજપાના તમામ કાર્યકર્તાઓ બુધ અને ઘરોમાં જઈ લોક સંપર્ક કરશે એ સિવાય વિવિધ સમૂહના લોકો જેવા કે ડોક્ટરો, ખેલાડીઓ, વેપારીઓ, વકીલો ,આઈટી ક્ષેત્રના લોકો, નિવૃત્ત સૈનિકો, વિગેરે ના પણ સૂચનો લેવાશે 1 કરોડથી વધુ લોકો પાસેથી મંતવ્ય લેવાશે જેની શરૂઆત 26 મી ફેબ્રુઆરી 2024 થી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એ દિલ્હી ખાતેથી કરી હોવાનું પ્રદેશ સહ પ્રવક્તા ડો. શ્રઘ્ધાબેન રાજપૂતે જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here