નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-
નસવાડી સરકાર ફળિયા ચારરસ્તા વિસ્તારમા માન,આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નિમિષા બેન સુથાર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ મંત્રી શ્રી દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી જ્યાં સાવરે ચા નાસ્તો કરી બોડેલી સર્કિટ હાઉસ થી જન આશીર્વાદ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યાંથી નીકળી જેતપુર પાવી ત્યાંથી છોટાઉદેપુર ત્યાંથી નીકળી કવાંટ ત્યાંથી નીકળી નસવાડી મુકામે આવ્યા હતા.
નસવાડી નગરમાં નવા બનેલા મંત્રી શ્રી નિમિષાબેન સુથાર નું ભવ્ય સ્વાગત સરકાર ફળિયાના અલતાફભાઈ કુરેશી તથા મહેશભાઈ દલાભાઈ વણકર તથા ઇરફાનભાઈ લાકીવાલા તથા જાવેદભાઈ કુરેશી તથા વોર્ડ ન,૮ ના સભ્ય પારૂલબેન મહેશભાઈ વણકર તથા ઇબ્રાહિમભાઈ રેહમાનશા દીવાન આમ દરેક હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
નસવાડીમાં જન આશીર્વાદ યાત્રાનું કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા નસવાડી ડેપોથી યાત્રા કાઢવામાં આવી હતી યાત્રામાં દરેક કોમના લોકો જોડાયા હતા અને ત્યાથી નસવાડી ગ્રામ પંચાયત હોલમાં ગયા હતા ત્યાં નિમિષાબેન સુથારે પ્રવચન પણ કર્યું હતું અને પ્રવચનમાં આયુષમાન કાર્ડ કઢાવી લેવાનું પ્રજાને સૂચન કરવામા આવ્યું હતું અને નવા બનેલા મંત્રી તરીકે નસવાડી સરકાર ફળિયા ચાર રસ્તા માં નિમિષાબેન સુથાર ને દરેક લોકોએ આવકાર્યા હતા.