નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજરોજ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ ડી એચ વાઘેલા ના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યુ જેમા ગામના હિંદુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા રામનવમી ના સરઘસ ને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રામનવમી નો તહેવાર નસવાડી ખાતે ઉજવવામાં આવેછે જેમા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેં માટે તકેદારી રાખવા પી એસ આઈ વાઘેલા દ્રારા જણાવવામાં આવ્યુ હતુ અને નસવાડી ગામ ઐ એક કોમી એકતા નુ પ્રતીક છે જે વર્ષો થી હિન્દુ મુસ્લિમ બન્ને કોમ ના લોકો ભેગા મળી તહેવાર ઉજવેછે અને આજદિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આશા છે કે આગળ પણ કોઈ બનાવ ન બને પરંતું નિયમ પ્રમાણે મીટીંગ રાખવામાં આવી હતી અને શાંતિ પુર્ણ રીતે તહેવાર ઉજવાય તેવી સલાહ આપવામા આવી હતી અને આ શાંતિ સમિતિ ની મિટિંગમાં ગામના આગેવાનો અને આયોજકો હાજર રહ્યા હતા.