નસવાડી રામપરી મંદિરે ભગવાન શિવજીના શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવ્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો

નસવાડી તાલુકા ની ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ 13-ડિસેમ્બર ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે કાશી વિશ્વનાથ ધામનુ લોકાર્પણ સંદર્ભે ભગવાન શિવજી ના મંદિરે જળાભિષેક કરવામાં આવ્યુ ને અને સારી એવી માત્રામાં કાર્યકરો જોડાયા હતા જેમાં સંખેડા મત વિસ્તાર ના ધારાસભ્ય અભેસિંહ તડવી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ જિલ્લા પંચાયતના દંડક ચેતનભાઈ મેવાસી જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ તાલુકા પંચાયત કારોબારી સભ્ય બાબલુભાઈ તથા તમામ કાર્યકરો ભેગા મળી જળાભિષેક કરવામાં આવ્યો અને આવેલ તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ લાઈવ પ્રસારણ નિહાળવા મા આવ્યુ હતુ અને નસવાડી તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ હવન કથા અને જળાભિષેક કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here