નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે દૂધના પાઉચ રસ્તાની બાજુમાં ફેંકેલી હાલતમાં જોવા મળ્યા .બાળકોને અપાતા દૂધના પાઉચ ફૂલીને દડા જેવા થઈ ગયા સરકાર આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આ દૂધ સંજીવની યોજના ચલાવી રહી છે.આદિવાસી વિસ્તારમાં બાળકો કુપોષણ મુક્ત બને તે હેતુથી દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં દૂધ આપવામાં આવે છે.આ દૂધના પાઉચ ગમે તે જગ્યાએ પડી રહેતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.પરંતુ જે મોનીટરીંગ કરતી એજન્સી અને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.