નસવાડી : બે દિવસથી ગુમ થયેલ વ્યક્તિ ખાખેડાના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળ્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કાઠિયાવાડ મજૂરી કરી થોડા સમય પહેલાજ વતન માં આવ્યો હતો

નસવાડી તાલુકાના ઘોડિસિમેલ ગામનો વ્યક્તિ થોડા સમય પહેલાજ પોતાના વતન માં કાઠિયાવાડ થી મજૂરી કરી આવ્યો હતો અને બે દિવસ થી ગુમ થયાની વાતો વહેતી થઈ હતી અને આજે ઘોડીસિમેલ ગામે અવ્વડ જગ્યાએ જંગલ જાડી માં લટકતા મળી આવ્યો છે જેને લઈ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને ગ્રામજનો અને પોલીસ મળી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવી હતી અને આ લટકતા વ્યક્તિની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે નસવાડી સરકારી દવાખાને લાવવામાં આવી હતી અને ગામના સરપંચના જણાવ્યા મુજબ મરણજનાર વ્યક્તિ નામે હસમુખભાઈ ભીલ હોવાનું જાણવા મળેલ છે અને એની ઉંમર 35 વર્ષ ની છે અને એના નાના બાળકો હોવાનું જાણવા મળેલ છે હવે ક્યાં કારણો સર આ બનાવ બન્યો છે તે પોલીસે તપાસ હાથ ધરી છે નસવાડી માં ગઈ કાલે અવાવરૂ કુવા માંથી મૃતદેહ મળ્યો અને આજે ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો છે હવે આવી ઘટનાઓ વારંવાર બનેછે એ કારણ અકબંધ છે અને મૃતદેહ ના પી એમ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here