નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
એક બાજુ પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ લાખો લીટર પાણીનો વેડફાટ
બોડેલી તાલુકાના ભગવાનપુરા વિસ્તારમાં નર્મદા મુખ્ય નહેર માંથી નીકળતી કડીલા માઇનોર બ્રાન્ચ કેનાલ નું પાણી પચાસ કરતાં વધુ ગામો ને સિંચાઈ માટે મળતું હોય છે અને હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખૂબ જ જરૂર હોય છે તે સમયે જ માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
માઇનોર કેનાલમાં ગાબડું પડતાં ઘણો સમય થઈ ગયો પણ ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે વહેલી તકે ગાબડું રીપેરીંગ થાય અને પાણીનો બગાડ ન થાય પાકને પણ નુકસાન ના થાય જો વહેલી તકે ગાબડું રીપેરીંગ કરવામાં નહીં આવે તો ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક બરબાદ થઈ જશે તેમ આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે.