નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી મા લીકેજ થયેલી પાણી ની લાઈનો જેમાંથી હજારો લીટર પાણી અત્યાર સુધી વેડફાટ થઈ ચુક્યુ છે પરંતુ વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવતી હતી અને મીડિયા મા પણ આનો અહેવાલ પ્રસિધ્ધ થઈ રહ્યો હતો અને તેને ધ્યાને લઈ તલાટી જાતે રસ લીધો હતો અને લીકેજ થયેલી પાઇપ લાઇનો ની કામગીરી ઉપર ઊભા રહી કરાવી હતી જ્યારે તલાટી પોતે સવારે ઉઠતાની સાથે જ આ કામગીરી મા લાગી ગયા હતા અને કામદારોને બોલાવી તાત્કાલિક પોતાની હાજરીમાં કામ કરાવ્યુ હતું જેમાં તલાટી નસવાડી ગામના હોવાથી ગામની વરવી વાસ્તવિકતા ની તેમને ખબર જ હોય છે જે તાલુકા પંચાયત આગળ પાણી વહેતુ હતુ અને આગળ જે પંચાયત દ્વારા બનાવેલ ગાર્ડનની આગળ જે પાઇપ લાઇન લીકેજ હતી તેને તલાટી સાહેબે રસ લઈ કામગીરી કરાવી છે અને જે સરાહનીય કામગીરી કરીછે જેનાથી નસવાડીના પ્રજા મા આનંદ જોવા મળ્યો હતો અને તલાટી સાહેબ આગળના પ્રશ્નો પણ રસ લઈ કરે તેવી આશા રાખી છે અને હવે નસવાડીના તમામ ઉભરતા પ્રશ્નો નુ નિરાકરણ જલ્દીથી આવશે તેવી લોક ચર્ચામાં જાણવા મળેલ છે.