નસવાડીના વાલપુરામા નકુચા તૂટતા જોઈ લોકો ચોરોની પાછળ દોડ્યા

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રાતના સાડા આંઠ નવ વાગ્યાના સુમારેજ ચોરોએ હાથ સાફ કરવાની કરી કોશિશ

નસવાડી ના વાલપુરા ગામે ચોરોએ આતંક મચાવ્યો હતો દરવાજાના નકુચા તોડતા જોઈ લોકો ચોરોની પાછળ દોડ મૂકી હતી અને જોત જોતામાં લોકોના ટોળા ભેગા થયા હતા વાલપુરા નજીક નાળુ કોતર આવેલ છે ચોરોની પાછળ દોડતા ચોર કોતર ઉતરી ગયા હતા કોતરમાં જંગલ ઝાડી હોવાના કારણે ચોર ઝાડી માં ઘુસી ગયા હતા પણ પબ્લિકે હાર ન માની અને લોકો કોતર માં ઉતર્યા અને ઝાડી વચ્ચે સંતાયલો ચોર ત્યાંથી ભાગી ગયો એમ લોકોનું કહેવું છે અને એજ દિવસે દસ લાખ બાવીસ હજાર ની ચોરી વાલપુરા નજીક થઈ હતી જેને લઈ લોકો પરેશાન હતા હજુતો ચોવીસ કલાક પણ નથી થયા ચોરી થયે અને રાતના સાડા આંઠ નવ ના ગાળાની વચ્ચે આ નવો બનાવ જોવા મળ્યો હતો અને પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે પણ તપાસ કરી પણ ચોર પકડાયા નથી હવે નસવાડીની પ્રજા ચોરોને લઈ હેરાન થઈ છે પોલીસ પેટ્રોલિંગ કરવા છતાં આ સમસ્યા ઉભી થઈ છે પોલીસ તો એમનું કામ કરેછે પણ હવે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે અને પ્રજા પણ પોલીસ ની જેમ પેટ્રોલિંગ કરે બધા ભેગા મળી અલગ અલગ ફળિયા દીઠ જાગે અને ટોળકી બનાવી દરેક એરિયા રાતના ફરે અને એ રીતે ચોરો પકડાય એવુ લોકોનું માનવું છે રાતના સાડા આંઠ નવ ના ગાળામાં બધા જાગતા હોય છે છતાં પણ આ ચોરોની હિમ્મત એટલી વધી ગઈ છે કે આ ગાળામાં પણ ચોરી કરવાની કોશિશ કરે છે જો આવા ને આવુ રહ્યું તો ચોરો ધોળા દિવસે પણ લોકોના ઘર દુકાનો માં ઘુસી જશે એટલા માટે આ ચોરોના ત્રાસ થી છુટકારો મેળવવા માટે પોલીસ અને પબ્લિક ભેગી મળી આ સમસ્યાનું સમાધાન કરવું જોઈએ એમ લોક ચર્ચાઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here