નસવાડીમા સોના ચાંદીના વેપારીના મકાનમા ચોરી

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મકાનમા ૧૦,૨૨૦૦૦ ની મતાની ચોરી

નસવાડી નગરમાં ચોરી થતા ચકચાર પામી છે નસવાડી માં સોના ચાંદીના વહેપારી અનિલકુમાર ઉર્ફે અતુલભાઈ છીતાલાલ જે નસવાડી જકાતનાકા પાસે શિવ શક્તિ જવેલર્સ ની દુકાન કરેછે અને દિવાળી નો તહેવાર હોવાથી અંબાજી દર્શન કરવા માટે ગયા હતા અને જલારામ મંદિર સામે એમનું મકાન છે ત્યાં તેમના મકાન મા ૧૦,૨૨૦૦૦ની મતા ની ચોરી થયેલ છે એમ એમને પોલીસ ફરિયાદ માં જણાવેલ છે જેમાં મકાનના મુખ્ય દરવાજાને કોઈ હથિયાર વડે નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોક તથા તિજોરીના દરવાજાઓના ઉપરના ભાગેથી કોઈ સાધન વડે લોક તોડી તિજોરીના લોકર તથા ડ્રોવર માં મુકેલ રોકડા રૂપિયા ૫૦૦,૦૦૦/- તથા સોના ચાંદી ના દાગીનાની કિંમત રૂ,૫,૨૨,૦૦૦/-મળી કુલ કિંમત ૧૦,૨૨૦૦૦/-મતાની ચોરી થઈ છે એમ મકાન માલિકે જણાવ્યું હતું અને આ ચોરીના બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને તપાસ કરતી પોલીસ તસ્વીર મા નજર આવી રહી છે અને ઇ,પી,કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here