નર્મદા જીલ્લાના નિવાલદા ગામે પુત્ર વધુને સસરાએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પુત્ર વધુએ ઝેરી દવા ગટગટાવી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પુત્ર વધુને શારિરીક અને માનસિક ત્રાસ ગુજારાતા પોતાના પિયરમાં રહેતી પુત્ર વધુએ પતિદેવ સહિત સાસરિયાં વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મહિલા ને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર 6 સાસરિયાંઓ સામે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના નિવાલદા ગામ ખાતે પોતાની પુત્ર વધુ ને છૂટાછેડા આપવાની ધમકી આપનાર સસરા સહિત સાસુ તેમજ પતિ સહિત નણંદો અને જેઠ સામે દેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસારદેડિયાપાડા તાલુકા ના નિવાલદા ગામ ખાતે રહેતી સુનિતાબેન બિપીનભાઈ વસાવા રહે.નિવાલદા ના લગન એજ ગામ મા થયા હતા સાસરિયાં ઓ દ્વારા શારીરીક અને માનસિક ત્રાસ ગુજારાતા આ મહિલા પોતાના પિયરમાં છેલ્લા દશેક મહિનાઓથી રહેતી હતી, ત્યારે તેણી ના સસરા મારગીયાભાઈ ઉકડીયાભાઈ વસાવા એ પોતાની પુત્રવધુ ને ધમધમકી આપતા જણાવ્યું હતું કે હવે તને મારા છોકરા સાથે છૂટાછેડા કરાવી દેવાના છે તને લઇ જવાની નથી નુ કહી પોતાની પુત્રવધુ ને બિભત્સ ગાળો બોલી હતી, આ બાબતે પુત્રવધુ ને પોતાના મન ઉપર લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનશીબે તેણી બચી ગયેલ હતી.

દેડિયાપાડા પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here