નર્મદા જિલ્લામા કાળઝાળ ગરમીથી બચવા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ કાળજાળ ગરમી એ ભારે માજા મૂકી છે દિન પ્રતિદિન ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે નર્મદા જિલ્લાનો મહત્તમ તાપમાન 41 ડિગ્રી એ પહોંચ્યો છે ત્યારે નર્મદા જિલ્લા મા વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ?

પુરતું પાણી પીઓ: તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ. ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુપાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે.
• બને તેટલું ઘરની અંદર રહો.
• હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
• શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવું તેમજ તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો. તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો.
• પ્રાથમિક સારવારની તાલીમ મેળવો, વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજનવાળા લોકો માટે વિશેષ કાળજી લો કારણ કે તેઓ વધુ પડતી ગરમીનો શિકાર બને છે
બોક્ષ મેટર
###########

*હીટવેવ દરમિયાન શું ના કરવું જોઈએ?*

• તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના ૧૨:૦૦ કલાકથી ૦૩:૦૦ કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.
• પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
• આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રીંકસ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.
• ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો.
• બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.
• અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિન જરૂરી ગરમી પેદા કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here