કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
પતિ-પત્નીના સંબંધને સાત જન્મો સુધીના સંબંધ માનવામાં આવે છે. એક પત્ની હજારો સપના સાથે લગ્ન જીવન પ્રભુતા પગલા પાડતી હોય છે. આવી જ રીતે કાલોલની એક પરિણીતાએ પણ હજારો સપના સાથે ઘરસંસાર માડ્યુ હતુ. પણ પત્નીને ક્યાં ખબર હતી કે જે પતિને પરમેશ્વર માનતી હતી તે જ પતિ નીકળશે દગાબાજ.
કાલોલ નગર મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા નેહાબેન ઓ ના લગ્ન રિતિ રિવાજ મુજબ ૨૦૧૧ની સાલમાં કાતોલ ગામના વિજય ભાઈ કાંતિલાલ પરમારના સાથે થયેલા હાલ એમના સંતાનમાં બે છોકરીઓ છે મનસ્વી બેન આઢ વર્ષ બીજી તનસ્વી બેન ત્રણ વર્ષની એમ બે વસ્તાર ધરાવે છે. છેલ્લા એક વર્ષથી તું મને ગમતી નથી અને મારે બીજી પત્ની લાવવી છે એમ કઈ માનસિક-શારીરિક ત્રાસ આપી ગડદાપાડુનો માર મારતા.અને દહેજ માટે પરણિતાને માનસિક ત્રાસ આપ્યા બદલ ની ફરિયાદ નેહાબેન દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી. નેહાબેન જણાવ્યા અનુસાર તેમના પતી વારંવાર મારઝૂડ કરી તેમને પિયરમાં પણ જવા દેતા ન હતા.અને કોલેજની પાછળ ખેતરમાં રાતના સમય લઇ જઈ બંને હાથ બાંધીને ગડદા પાડું માર મારતા નેહા બેન બૂમો પાડતા કાંતિલાલ મંગળભાઈ પરમાર તેમના સસરા દ્વારા વધુ માંરમાર થી છોડાવી પતી દ્વારા માનસિક શારીરિક ત્રાસથી અને પજવણીથી કંટાળી ગયા પછી તે બદલની ફરિયાદ નોંધા વતા કાલોલ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.