રાજપીપળા કરજણ નદીમાં ડેમમાંથી ભારે પાણી છોડાતા નદી કિનારેના તડકેશ્રર મંદિરનો માર્ગ ધોવાયો

મંદિરમાં પ્રવેશવાના પગથિયા પણ નદીના વહેણમાં તુટી પડયા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી મુશળાધાર વરસાદ વરસ્યો છે જીલ્લાના જંગલ વિસ્તારમાં ખુબ જ વરસાદ ખાબકતાં કરજણ ડેમ ખાતે ઉપરવાસમાં પાણીની આવક થતા ડેમ સત્તાવાળાઓને હજારો કયુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી હતી, કરજણ નદીમાંથી પાણી છોડતા તડકેશ્રર મંદિર પાસેનો માર્ગ નદીના પ્રવાહમાં ધોવાતા મંદિરના પગથિયાં પણ તુટ્યા હતાં.

મળતી માહિતી અનુસાર રાજપીપળાથી અંકલેશ્વર જવાના માર્ગે આવેલ તડકેશ્રર મંદિર પાસેનો માર્ગ કરજણ નદીમાં હજારો કયુસેક પાણી છોડાતા ધોવાઇ ગયો હતો, માર્ગનું ધોવાણ થતા મંદિરમાં પ્રવેશવાના પગથિયા પણ નદીના ભારે વહેણમાં તુટી પડયા હતા. હાલમાં મંદિર સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે. દર્શનારથીઓ મંદિરના પ્રવેશ દ્વારથી પ્રવેશી જ શકતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ જયારે ગુજરાતના બાંધકામ વિભાગના મંત્રી હતા ત્યારે કરોડો રુપિયાની ગ્રાન્ટોના ખર્ચે રાજપીપળાના સરકારી ઓવારા તરફથી નર્સરી, એરોડ્રામ, સ્મશાન થઇને અખાડા તરફથી તડકેશ્રર મંદિર પાસેનો માર્ગ રીંગ રોડ તરીકે જાહેર કર્યો હતો અને આનંદીબેન પટેલે જાતે જ ખાતમુહૂર્ત કર્યુ હતુ. પરંતુ આ રીંગ રોડ અનેક વાર કરજણ ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડતા ધોવાઇ જતો હોય છે, જેથી આ વિસ્તારમાં વસતા લોકોને મંદિરના દર્શનારથીઓને ભારે મુશીબતો ઉઠાવવી પડતી હોય છે. આ સમસ્યાનું કાયમી ઉકેલ આવે એ ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here