રાજુલા, હિરેન ચૌહાણ (બાબરા) :-
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલ લોજિસ્ટિક્સ પાર્ક પાસે પાણીની ખાડી આવેલી છે તેમાં માછીમારી કરી રહેલા ભરતભાઈ સોલંકી (ઉં. વ. ૩૦) પર વીજળી વડોદરા ઘટનાસ્થળે મોત થયું હતું અને મૃતક સાવરકુંડલા ના હોય એવું જાણવા મળેલ છે.
મૃતકને રાજુલા સરકારી હોસ્પિટલ માં ખસેડાયા હતા અને આ ઘટનાની જાણ થતાં ભેરાઇ ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી તેમજ ગ્રામજનો લોકો પણ દોડી આવ્યા હતા. હવામાન વિભાગની આગાહી બાદ ગાજવીજ સાથે વીજળી થતી હતી. ત્યારે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.