સુપ્રીમ કોર્ટ સહિત હાઇકોર્ટના 21 નિવૃત્ત ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દેશની ન્યાય પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસ

દેશની ન્યાયિક પ્રક્રિયાને કેટલાક લોકો દ્વારા પ્રભાવિત કરવામાં આવી રહી હોવાનો ગંભીર પ્રશ્ન સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો એ ઉઠાવ્યો છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના 21 નિવૃત્ત જજોએ મુખ્ય ન્યાયાધીશ ડીવાય. ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે એક જૂથ દ્વારા કોર્ટ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને એને નબળી પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નિવૃત જજોએ કહ્યું હતું કે કોર્ટ પર ગેરકાયદે દબાણને ખાળવા સાથે એને સુરક્ષિત કરવાની જરૂર છે.

નિવૃત ન્યાયાધીશો એ લખેલ પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય હિતો અને નિજી લાભથી પ્રેરિત કેટલાંક તત્ત્વો અમારી ન્યાય પ્રણાલીમાં જનતાના વિશ્વાસને સમાપ્ત કરી રહ્યા છે. આ પત્ર પર 21 નિવૃત્ત જજોએ હસ્તાક્ષર કર્યા છે. એમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચાર જજ અને હાઇકોર્ટના 17 જજ સામેલ છે.

નિવૃત્ત જસ્ટિસ દીપક વર્મા, કૃષ્ણ માહેશ્વરી અને MR શાહ સહિત નિવૃત્ત જજોએ આલોચકો પર કોર્ટો અને જજોની ઇમાનદારી પર સવાલ ઉઠાવીને ન્યાય પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રકારો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. જે દેશ ની ન્યાયિક પ્રક્રિયા માટે ખુબજ ચિંતાજનક બાબત છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આસામાજિક તત્ત્વોના પ્રકારો ઘણા ભ્રામક છે. આ પ્રકારે કામગીરીથી ના માત્ર કોર્ટનું અપમાન થાય છે, પણ જજોની નિષ્પક્ષતાના સિદ્ધાંતોની સામે પડકાર પેદા થાય છે. આ ગ્રુપ દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના ઘણી હેરાન કરનારી છે. આ કોર્ટની છબિ ખરડવાના પ્રયાસ છે અને કોર્ટના ચુકાદાને પ્રભાવિત કરવાના પ્રયાસ કરે છે.

આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપનો વ્યવહાર સામાજિક, આર્થિક અને રાજકીય મહત્ત્વ વધુ હોય છે, અમે ન્યાય પ્રક્રિયાની સાથે મળીને ખભેખભા મિલાવીને ઊભા છીએ અને એની ગરિમા અને નિષ્પક્ષતા બચાવી રાખવા માટે દરેક પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ નું સુપ્રિમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ ને લખેલ પત્ર માં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here