રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
આગામી તા. ૦૭ મી મેના ૨૦૨૪ રોજ ગુજરાત રાજ્યની તમામ ૨૬ લોકસભા સીટ પર મતદાન થશે. જે અંતર્ગત નર્મદા જિલ્લાનાં સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નર્મદા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના ઊંડાણના ગામોમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાંદોદ તાલુકાના નામલગઢ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ સહિત ગામના નાગરિકો દ્વારા રેલી સહિત પોસ્ટરો બનાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જેમાં જાગૃત બનો મતદાન કરો, મતદાન મારો હક, મતદાન કરીએ અને કરાવીએ જેવા અનેક પોસ્ટરો બનાવી રેલી દ્વારા જાગૃતિના સંદેશ આપવામા આવ્યાં હતાં.