વાંકાનેર તાલુકાના સતાપર ગામે ચોરા પર વીજળી પડી

વાંકાનેર,(મોરબી)
આરીફ દીવાન

આજરોજ તારીખ 11 9 2020 ના રોજ વાંકાનેર પંથકમાં હવામાનમાં પલટો આવ્યા બાદ એકાએક વરસાદી માહોલ છવાઇ ગયો હતો બપોરના સમય દરમિયાન થોડું વરસાદી વાતાવરણ થયું હતું ત્યારે બપોરના ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકા માં આવેલા સતાપર ગામમાં ગાજવીજ સાથે વરસાદના છાંટા ચાલુ થયા હતા અને અચાનક સાડા ત્રણ વાગ્યે ગામના રામજી મંદિર ના (ચોરા) પર વીજળી પડી હતી. જે છે વીજળી પડતા ચોરા ની તસ્વીર માં દેખાય છે.

મળેલી માહિતી મુજબ આજે બપોરે 03:30 વાગ્યે સતાપર ગામ માં અને આજુબાજુના વિસ્તારમાં વરસાદના છાંટા ચાલુ થયા હતા તેવામાં અચાનક ગામમાં આવેલ રામજીમંદિર પર વીજળી પડી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જવાના દિવાલમાં નુકસાન થયું હતું અને કેટલાક નળીયા ફૂટી ગયા હતા. વરસાદ તો થોડા છાંટા જ પડયા, આ થોડા છાંટામાં પણ સતાપરમાં વીજળી પડી હતી અને ચોરામાં નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here