તીલકવાળા તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ લાવવા માટે પ્રચાર કરવામાં આવ્યો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ માનનીય આર.જે ચૌહાણ સાહેબ દ્વારા નિયમિત બુથ લેવલ મોનીટરીંગ અને માર્ગદર્શન દ્વારા તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં રવિવારના રોજ સેક્ટર ઓફિસર ની નિગરાનીમાં બુથ લેવલ ઓફિસર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સવારે ૧૦થી સાંજે પાંચ સુધી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોના નામ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે તેમજ નામ કમી કરવા માટે વિધાનસભાના એક વિસ્તાર માંથી બીજા વિસ્તારમાં નામ તબદીલ કરવા માટે સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે.

તિલકવાડા તાલુકાના વિવિધ 76 મતદાન મથક પર 13 ડિસેમ્બરના રોજ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આયોજન કરીને લોકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ માહિતી આપવામાં આવશે રવિવારના રોજ ખાસ ઝુંબેશ ના દિવસે તાલુકાના વિવિધ મતદાન મથક પર બુથ લેવલ ઓફિસર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરીને લોકોને મતદાર યાદી સુધારણા સંદર્ભમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આ પ્રોગ્રામ અંતર્ગત આજરોજ તિલકવાડાં નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગાડી ફેરવી ને લોકોને જાગૃત કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે તેમજ તિલકવાડા તાલુકા મામલતદાર શ્રી આર ચૌહાણ દ્વારા રાષ્ટ્રીય કામગીરીમાં ભાગ લેવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here