રાજપીપળા પાસેના જેતપુર ગામે સીમમા ઢોરો ચરાવવા ગયેલ વૃદ્ધાની હત્યા કરનાર હત્યારાને નર્મદા L C B પોલીસે ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વેરિશાલપુરા ની વૃદ્ધ મહીલાની 12 મી તારીખે માથામાં લાકડી નાં સપાટા મારી હત્યા કરાઈ હતી

વૃદ્ધા સાથે ઝઘડો કરી મોતને ઘાટ ઉતારનાર ખામર ના હત્યારા હિમ્મત જેઠાભાઈ વસાવાને જેલ ના સળીયા પાછળ ધકેલતી પોલિસ

નર્મદા જીલ્લા ના રાજપીપળા પાસે ના જેતપુર ગામ ની સીમ મા ઢોરો ચરાવવા માટે ગયેલી ઍક વૃદ્ધ મહીલા ની લાશ મળી આવતા રાજપીપળા પોલીસ મથક માં તા 12 મી ડીસમ્બર નાં રોજ હત્યા નો ગુનો નોંધાયો હતો.આ હત્યા કોણે કરી એની તલસ્પર્શી તપાસ નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ સહિત તેમનાં સ્ટાફે હાથ ધરી હતી. જેમા ગણતરી ના દિવસો માંજ પોલીસે હત્યારા ને ઝડપી પાડયો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો રાજપીપળા પાસેના વેરિસાલપુરા ગામ ખાતે રહેતી મનુબેન લાલાભાઈ વસાવા નામની વૃદ્ધા તા 12 મી ડિસમ્બરે ઢોરો ચરાવવા માટે નજીક ના જેતપુર ગામ ની સીમ મા ગયેલ જે પોતાનાં ઘરે પરત ન ફરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન તેની લાશ જેતપુર ગામ ની સીમ માથી મળી આવતા મહીલા ને માથામાં ઇજાઓ થતાં મોત નિપજ્યું હોવાનું જાણતા પોલિસે હત્યા નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નર્મદા જીલ્લા L C B પોલીસે આ મામલે હત્યા ના સ્થળ પાસે આસપાસ ખેતરો માં કામ કરતા મજૂરો સહિત ગોવાળિયાઓ ની પૂછપરછ કરતાં હિમ્મત જેઠાભાઈ વસાવા રહે. ખામર સાથે વૃદ્ધા ને ઝઘડો થયો હોવાની જાણ પોલીસ ને થતાં પોલીસ હિમ્મત જેઠાભાઈ વસાવા ને ઝડપી તેની પૂછપરછ કરતાં હત્યા તેણે કરી હોવાની કબૂલાત કરતાં આરોપી ને વૃદ્ધા ની હત્યા ના ગુના મા જેલ ભેગો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here