બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
બોડેલી નગરમાં ૧૪ જેટલા તાજીયા સ્થાપના કરવામાં આવ્યા હતા બોડેલીમાં રજા નગર તેમજ ફતેનગર અમન પાર્ક ઢોકલીયા તેમજ અલીપુરા રામનગર વિસ્તારોમાં કલાત્મિક તાજીયા ની સ્થાપના કરવામાં આવી હતી
મુસ્લિમ ધર્મના મહાન પયંગબર ના નવાસા હઝરત ઈમામ હુસેન અને તેમના 72 જાનીદાર સાથીઓએ કરબલાનાં મેદાનમાં માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્યને કાજે શહીદી વ્હોરી હતી. ત્યારે તેમની શહાદતની માનમાં મોહરમ પર્વને માતમના પર્વ તરીકે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવવામાં આવે છે. આજે મોહરમ પર્વ નિમિત્તે સમગ્ર બોડેલી, રજાનગર અમનપાર્ક અલીપુરા માં વરસતા વરસાદમાં તાજીયા ઝુલુસ નીકળ્યા હતા. કોમી એખલાસ અને ભાઈચારા વચ્ચે શાંતિપૂર્વક માહોલમાં યોજાયેલા આ પર્વમાં મુસ્લિમ બિરાદરોએ ઇમામ હુસેનની યાદમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે