શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી રામજી કી બોડેલી નગરમાં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ખાતે તારીખ 17 4 2024 ના રોજ રામ નવમી એટલે પ્રભુ શ્રીરામ નો જન્મ ઉત્સવ ને લઈને અલીપુરા ખોડીયાર માતાજીના ચોકથી ઢોકળિયા રામજી મંદિર સુધી બોડેલી નગરમાં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી આ શોભા યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ શ્રીરામ ભક્ત રામજીની શોભા યાત્રામાં જોડાયા હતા શ્રી રામજી ની શોભા યાત્રા ઘોડાગાડી તેમજ ડીજેના તાલે તેમજ જય શ્રી રામના નારા સાથે બોડેલી નગર ગુંજી ઉઠ્યું હતું બોડેલી પોલીસ દ્વારા શોભા યાત્રામાં પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યું હતું આ શોભા યાત્રા આઈ શ્રી ખોડીયાર મા ના મંદિરે ચોક થી બજારમાંથી ઢોકલીયા માં રામજી મંદિર સુધી રામ ભક્તો દ્વારા શાંતિપૂર્વક. સોભા યાત્રા કાઢવામાં આવી હતી શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે બોડેલી નગરના તેમજ આજુબાજુ ગામના લોકો રામ ભક્તો મોટીસંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here