મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
મોડાસામાં દસમી મહોરમના દિવસે નાગરિક અને પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારએ કસ્બા તાજીયા ખાતે અને ધાચીવાડા કાદરસા બાવાની દરગાહ પાસે સરકારી તાજીયાના દર્શન કર્યા હતા.
તેમજ મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજુસિંહ પરમાર અને રથયાત્રા કમિટીના સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તેમનું બંને તાજીયા કમિટી તરફથી પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આજે બંને તાજીયા સાંજના સમયે માજુમ નદીના કિનારે ઠંડા કરવામાં આવશે.
મોહરમ પર્વને લઈ મોડાસામાં 1. ડીવાયએસપી 1પી.આઇ 4 પીએસઆઇ. 81 પોલીસ 63 હોમગાડૅ કુલ 152.પોલીસ બંદોબસ્ત માં જોડાયા હતા.