નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્રારા શંખનાદ કાર્યક્રમ બોડેલી ખાતે સ્વામિનારાયણ મંદિરે યોજાયો હતો આ કાર્યક્રમ સોસીયલ મીડિયા અને આઈ ટી સેલ નો વર્કશોપ યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેના પર જોર લગાવી જંગી બહુમતીથી જીતવાની છે માટે આ ચૂંટણી જીતવા માટે કાર્યકરોને મહેનત તો કરવાની છે પરંતું વધુ મહેનત કરો અને જે દારોમદાર છે તે આપણા નાના મા નાના કાર્યકરો થી લઇ હોદ્દેદારો સુધીના કાર્યકરો આવનારી ચૂંટણી માટે ખૂબ જોર લગાવી આપણે જીતવાની છે અને એના માટેની તૈયારી કરવા માટે આપણે તૈયાર થવાની રાહ જોવાની નથી અને હવે આ કામ માટે આપણે કામે લાગી જવાનું છે અને આ કાર્યક્રમ મા આપણા લોકલાડીલા સાંસદ ગીતાબેન રાઠવા જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જીલ્લા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જુના અને નવા આઇ ટી સેલ અને સોસીયલ મીડિયાના કાર્યકરો હાજર રહયા હતા.