રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના જાનકી આશ્રમ ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેડીયાપાડા નાં યુવાનો દ્વારા રક્ત દાન કરી સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.
નર્મદા જીલ્લા ભાજપા મહામંત્રી નીલ રાવ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ રકતદાન શિબિરમાં યુવાનો એ ઉત્સાહભેર પોતાના રકત નુ દાન કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,નર્મદા જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ ગૌરાંગ બારીયા, નર્મદા દેડીયાપાડા તાલુકા પ્રમુખ તારાબેન રાઠોડ, દેડીયાપાડા તાલુકાના કારોબારી અધ્યક્ષ દક્ષાબેન આર. વસાવા, દેડીયાપાડા તાલુકા ભાજપ મહામંત્રી ધરમસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રમુખ શંકરભાઈ વસાવા, જીલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહાર , મનિષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.