નસવાફી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી ;-
વડાપ્રધાન સાહેબે સંબોધન કર્યું હતું કે હવે 15 વર્ષ થી ઉપરના બાળકોને રસી મુકવી જરૂરી બન્યું છે કોરોના અને ઓમીક્રોન ના વધતા જતા કેસોને લઈ હવે 15 વર્ષ થી ઉપરના બાળકોને રસી મુકવામાં આવશે જેને લઈ નસવાડી તણખલા લિંડા કવાંટ ગોરીયા મોડેલ સ્કૂલ અને હાઈસ્કૂલ ખાતે રસી મુકવાનો પ્રારંભ થઈ ચકયો છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ ખચવાતા હતા અને રસી મુક્યા બાદ જો બાળકીઓને કાઈ થશે તો જવાબદાર કોણ એમ કહેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં રસી મુકવા આવેલ આરોગ્ય વિભાગે તેમની સાથે વાત કરતા વાલીઓને સમજાવવામાં આવ્યા હતા અને કેટલીક વિદ્યાર્થીનીઓ એ નિવેદન પણ આપ્યા હતા કે રસી મુકાવવી જોઈએ અને આ તમામ સ્કૂલોમાં સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એ રાજી ખુશી થી રસી મુકાવી હતી અને વિદ્યાર્થીઓએ રસી લીધા પછીના અનુભવો જણાવ્યા હતા અને જેને રસી મુકવાની બાકી છે તે બાળકોએ રસી મુકાવી લેવી જોઈએ તેવી સલાહ આઓવામાં આવી હતી