નર્મદા જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાન હેઠળ ૩૭૬ બુથ અને ૧૬૯૪ આરોગ્યકર્મીઓ દ્વારા ૪૭,૬૨૪ ભૂલકાંઓને પોલીયોના ટીપાં પીવડાવાયા : ૯૫.૭૮ ટકા સિધ્ધિ હાંસલ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

બાકી રહેલ બાળકોને હાઉસ-ટુ-હાઉસ કામગીરીમાં પોલીયોના ટીપા પીવડાવવાની થઇ રહેલી કામગીરી

પ્રતિવર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ પોલિયો રસીકરણ અભિયાન-૨૦૨૧ અંતર્ગત બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે ગઇકાલે નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૦ થી ૫ વર્ષની વયના બાળકોને સમગ્ર જિલ્લામાં ૩૭૬ જેટલાં પોલીયોના બુથો મારફત પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યાં હતા.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, ગઇકાલે ૦ થી ૫ વર્ષની વયના જિલ્લામાં કુલ ૪૯,૭૨૩ ના લક્ષ્યાંક સામે ૪૭,૬૨૪ બાળકોને (૯૫.૭૮ ટકા) પોલીયો રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ૩ ટ્રાન્ઝિટ પોઈન્ટ, ૨ મેળાની જગ્યા, મોબાઈલ ટીમ-૧૨ તેમજ ૩૭૬ બુથ સહિત જિલ્લાના કુલ ૧૬૯૪ આરોગ્યકર્મીઓ દ્વારા પોલિયોની રસી પીવડાવાઇ હતી. તેની સાથોસાથ બાકી રહેલ બાળકોને તા.૦૧ લી અને ૨ જી ફેબ્રુઆરીના રોજ આરોગ્યકર્મીઓ દ્વારા હાથ ધરાયેલી હાઉસ-ટુ-હાઉસ કામગીરીમાં આવરી લઇ આવા બાળકોને રસી પીવડાવવાની કામગીરી પૂર્ણ કરાશે.

ઉક્ત પલ્સ પોલિયોના અભિયાનમાં સરકારશ્રીની કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ પોલીયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મીઓ,આશા બહેનો,આંગણવાડી બહેનો ઉપસ્થિત રહીને ભુલકાઓને પોલયોના ૨ ટીપા પીવડાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here