શેઠ પી.ટી.આર્ટ્સ & સાયન્સ કોલેજ-ગોધરાના વાર્ષિક એન.એસ.એસ. કેમ્પનો પ્રારંભ થયો

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલના માનનીય કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનું ઉદઘાટન ડોક્ટર ના મુવાડા ગામ ખાતે કર્યું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી.પટેલ, જે એલ. કે કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ એચ ગારડી કોમર્સ કોલેજ કાકણપુરના પ્રિન્સિપાલ ડો. જૈમિની શાસ્ત્રી સાહેબ, ડો. સુરેશ ચૌધરી, ડોક્ટરના મુવાડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી જશપાલસિંહ સોલંકી, ડાયેટ પંચમહાલ ના કોરડીનેટર શ્રી ઉપરાંત એન.એસ.એસ. ના 65 જેટલા વિદ્યાર્થીઓ એનેસેસએસ વાર્ષિક શિબિર ના ઉદઘાટન સમારોહ માં જોડાયા હતા. કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબે વિદ્યાર્થીઓને ખાસ પરિણામ લક્ષી કાર્યો કરવા જણાવ્યુ હતું વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આવા કેમ્પ થી વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ ખુબજ વધે છે અને કોરોના કાળ પૂરો થવા આવ્યો છે ત્યારે કોવિડ-19 પ્રોટોકોલ પ્રમાણે થતી આ શિબિર ના કાર્યક્રમોની ખુબજ પ્રસંસા કરી હતી. ડો. રૂપેશ નાકરે, પ્રોગ્રામ ઓફિસર, એનએસએસ પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું. તેમણે સમગ્ર 7 દિવસ ના આગામી કેમ્પ માં થતાં કાર્યક્રમો જેવા કે વેક્સિનેશન ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ, વ્યસન મુક્તિ ના કાર્યક્રમો, કલ્ચરલ પ્રોગ્રામ, રેલી, ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ વગેરે ની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. કૂ. જાનકી પટેલે સમગ્ર સંચાલન તથા ગ્રૂપ લીડરો તરીકે કોમલ વરિયા અને સાર્થક દરજીએ ખાસ સેવા આપી હતી. બંને કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. એમ.બી.પટેલે કોલેજે ભૂતકાળ માં કરેલા કાર્યોની માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. જ્યારે ડો. જૈમિની શાસ્ત્રી સાહેબે યુવાનો દેશ નું ભવિષ્ય છે તથા પંચમહાલ પ્રસાસન દ્વારા અને એનએસએસ સ્વયંસેવકો દ્વારા ક્રોરોના કાળ માં થયેલ કાર્યોની પ્રસંસા કરી હતી અને અંગે વિદ્યાર્થીઓના આ પ્રયાસ ને વધાવ્યો હતો. જસપાલસિંહ સોલકીએ ખાસ ગામ અને શાળા તરફથી વિદ્યાર્થીઓને શિબિર માં પૂર્ણ સહકાર મળસે તેની ખાતરી આપી હતી. આ શિબિર ડોક્ટર ના મુવાડા પ્રાથમિક શાળા ખાતેથી ગામમાં કુલ 7 દિવસ ચાલસે જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા વીવીધ સેવાકીય પ્રવુતિઓ ગામમાં થસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here