રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
સત્ય અને અહિંસાના પુજારી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને કોગ્રેસના ધારાસભ્ય પી.ડી વસાવા સહિત આગેવાનોએ પુષ્પાંજલિ અર્પિ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે પૂજ્ય બાપુનું જીવન અહિંસા, શાંતિ, ભાઈચારો, સદભાવનાની પ્રતિમા સાથે ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યોનો જીવંત સંગ્રહ છે. સત્ય અને અહિંસા સાથે તેમણે લોકતાંત્રીક ભારતના જે આદર્શો સ્થાપિત કર્યા હતા તેના ઉપર સમગ્ર દુનિયાએ આજે ચાલવાની તાંતી જરૂર છે. તેમણે ચીંધેલા માર્ગ પર ચાલીને જ આપણે દુનિયામાં શાંતિ સ્થાપી વિકાસના માર્ગ ઉપર આગળ વધી શકીશું.
આજરોજ પૂજ્ય બાપુ ની જન્મજયંતી હોય રાજપીપલા મહાત્મા ગાંધીચોક ખાતે મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને કૉંગ્રેસ સમિતિ દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યો જેમાં નાંદોદ ધારાસભ્ય શ્રી પી.ડી વસાવા ,નર્મદા કોંગ્રેસ ઉપપ્રમુખ જેન્તીભાઈ વસાવા ,ગુજરાત પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવા,,શહેર પ્રમુખ માલવ બારોટ, નર્મદા યુવક કૉંગ્રેસ પ્રમુખ વાસુદેવભાઈ વસાવા,મહા મંત્રી અમિતભાઈ માલી, વિધાનસભા પ્રમુખ અજયભાઈ વસાવા,મેહુલ પરમાર, નીતિન વસાવા,તથા યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અને બાપુ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિત કરાઇ હતી.