ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા એ પંજાબ ના મુખ્યમંત્રી સહિત કોંગ્રેસ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ચૈતર વસાવાની “જન આશીર્વાદ” યાત્રામાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા

ભરૂચ લોકસભા ના ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ આજરોજ પંજાબના મુખ્યમંત્રી ભગવાંત માન, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત ના આગેવાનો ની ઉપસ્થિતિમાં ભરૂચ કલેકટર કચેરી ખાતે રૅલી સ્વરૂપે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

આજરોજ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થકો ઉમટી પડ્યા હતા, અને ભરૂચના મુખ્ય માર્ગ ઉપર “જન આશીર્વાદ” યાત્રામાં જોડાયા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચયા હતા. ચેતર વસાવા એ પોતાના ટેકેદારો સાથે ભરૂચ કલેકટરને પોતાનું ઉમેદવારી પત્રક સુપ્રત કર્યું હતું. અને આજરોજ પોતાની ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી સત્તાવાર રીતે નોંધાવી હતી.

ચેતર વસાવા ના સમર્થન મા ભરૂચ ખાતે હજારો કાર્યકરોને એકત્રિત થતા ભરૂચ લોકસભાની ચૂંટણી છેલ્લી સાત સાત ટર્મથી જીતતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ખરા-ખરીનો જંગ ખેલાશે ના એંધાણ ચૈતર વસાવા ની જન આશીર્વાદ યાત્રા ઉપરથી લાગી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here