રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવા સહિત નગરપાલિકા પ્રમુખ કુલદીપસિહ ગોહિલે ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સત્ય, અહિંસા અને સ્વચ્છતાના આગ્રહી, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજપીપળા શહેરના ગાંધી સર્કલ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને કોટી કોટી નમન કરી સાંસદ મનસુખભાઈ વસાવા એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ સાથે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત સભ્ય કિરણભાઇ વસાવા, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવા, નાંદોદ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, જિલ્લા કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ તથા દિવ્યેશભાઈ વસાવા , નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પરિમલ રામી, આશિષ ડબગર , ગીરીરાજ ખેર સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here