બોડેલીના મેરિયા નદી પર ૯.૬ કરોડના ખર્ચે બનનાર નવીન પુલનું ભુમીપુજન પાવીજેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું….

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના મેરિયા નદી પર ૯.૬ કરોડના ખર્ચે બનનાર નવીન પુલનું ભુમીપુજન પાવીજેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યુ હતું ત્યારે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી તથા મહેમાનો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું
કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય શ્રી જણાવ્યું હતું
આ નવીન પુલ બનતા ૧૩ થી વધુ ગામોના ગ્રામજનોને ૧૫ કિમીના ફેરામાંથી મુક્તિ મળશે.જેમાં સમય અને પૈસાની બચત થશે.આ વિસ્તારના વિદ્યાર્થીઓ,નોકરિયાતોને પણ ખુબ મોટો લાભ મળશે. તેમ જણાવ્યું હતું
ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું કે આ નવીન બ્રિજનું અન્ય પક્ષ ના ભૂતપૂર્વ ધારાસભ્ય પૂર્વ મંજૂરી વિના ખાત મુહૂર્ત કરી ચૂંટણીમાં વોટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી નહીં
આ કાર્યક્રમમાં મૂલધર ગામના કબીરપંથી સંત નરેશદાસ સાહેબ,છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ,બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ડો શીતલકુવરબા મહારાઉલ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા,તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઇ ધોબી, પાવીજેતપુર તાલુકા ભાજપા પ્રમુખ બાબુભાઇ રાઠવા,બોડેલી તાલુકા ભાજપા મહામંત્રી પરિમલ પટેલ,જેસીંગભાઇ બારીયા સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here