તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ
તિલકવાડા તાલુકાના ખાટાઅશીત્રા ગામે 21 વર્ષીય મહિલાએ પેટ માં દુખાવો થતા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હોવાની માહિતી મળેલ છે.
મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ખાટાઆશીત્રા ગામે રહેતા જ્યોતિકાબેન મુકેશભાઈ બારીયા નાઓ પોતાના ઘરે પોતાના પેટમાં દુખાવો થતાં કપાસમાં છાંટવાની ઓલ ઇન વન નામની ઝેરી દવા પી જતાં તેઓના પતિ મુકેશભાઈ ગોપાલભાઈ બારીયા તેમજ વિદ્યાબેન સુરેશભાઈ બારીયા રહે સાહેબપુરા નાઓ તેઓને ખાનગી વાહનમાં તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવ્યા હતા.
તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા જ ફરજ ઉપર ઉપસ્થિત ડોક્ટરો દ્વારા દર્દીને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીની ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસ મથકે દ્વારા તિલકવાડા પોલીસ દ્વારા જાણવાજોગ નોંધી ની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.