ફતેપુરા અને ગરબાડાથી બે તરુણીઓના અપહરણ

ફતેપુરા, (દાહોદ) સાગર કડકિયા :-

વાકાંનેર અને અભલોડના યુવક સામે ગુનો દાખલ
દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી પત્ની તરીકે રાખવાના ઇરાદે બે તરૂણીઓના અપહરણની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ફતેપુરા તાલુકાના વાકાનેર અને ગરબાડા તાલુકાના અભલોડ ગામના યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર ગામનો મનિષ સોમા કટારા તા.2 જૂનના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં હિન્દોલિયા ગામેથી એક 16 વર્ષ 9 મહિનાની તરૂણીને ગરબાડા તાલુકાના અભલોડ ગામના બોર ફળિયામાં રહેતો રાજેશ માનસીંગ વહોનીયા તા.24 એપ્રિલના રોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં તાલુકાની એક 15 વર્ષ 11 મહિનાની તરૂણીને પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હતો. બન્ને તરૂણીના પરિવારે શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી તરૂણીઓના પરિવારજનોએ યુવકો સામે ફરિયાદ નોંધાવતાં સુખસર અને જેસાવાડા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here