ગરબાડા, (દાહોદ) સાગર કડકિયા :-
ટુકીવજુના રોજી ફળીયામા કાચુ મકાન ધરાશાઈ થયું.
મકાન ધરાશાઈ થતા ઘરમા રહેલા 4 લોકો કાટમાળમાં દટાયા હતા.
સ્થાનીકોએ ભારે જહેમત બાદ ચારેય ઈસમોને સહીસલામત બહાર કાઢ્યા.
તલાટી, સરપંચ સહીતના હોદ્દેદારો ઘટના સ્થળે પંહોચી કાર્યવાહી હાથ ધરી.
ગરબાડાના મઢી ફળિયા વિસ્તારમા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ન્યાય મંદિર રોડ ઉપર એક થી દોઢ ફૂટ પાણી ભરાતા સ્થાનિક રહીશો, દુકાનદારો તેમજ વાહન ચલકોને હાલાકી વેઠવી પડી હતી.