દાહોદ, મોહન બારીયા :-
ભાજપ સરકારે કેન્દ્રમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ 9 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ 9 વર્ષની સિદ્ધિઓ, જનક્લ્યાણકારી યોજનાઓ અને નીતિઓની માહિતી જનજન સુધી પહોંચાડવા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના છાપરી ગામે વિશાળ જન સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દાહોદ જિલ્લાના ભાજપા સંગઠનના નેતાઓ સહિત તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા, અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને ભાજપ સરકારના પારદર્શક અને સુશાસનથી માહિતગાર કરાવવામાં આવ્યા હતા..