કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
આજરોજ તા.૨૧/૦૨/૨૩ ને મંગળવાર ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ની કારોબારી બેઠક નવરચના ગુરુકુળ વિદ્યાલય કાલોલ ખાતે કારોબારી બેઠક યોજાઈ.જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પંચમહાલ ના માન. સંઘચાલકજી રાજેશભાઇ જોશી,જિલ્લા મહાસંઘ ના મહામમંત્રી યોગેશભાઈ પટેલ,જિલ્લા સહ મંત્રી ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી,જિલ્લા ઉપાધ્યક્ષ અજીતસિંહ,રાજ્ય કારોબારી ભલાભાઈ તથા સ્વયં સેવક સંઘ જિલ્લા ના કુટુંબ પ્રબોધક પ્રમુખ ડાહ્યાભાઈ તેમજ કાલોલ તાલુકાના મહાવિદ્યાલય પ્રમુખ તેમજ નવરચના ગુરુકુળ વિદ્યાલય ના સંચાલક એવા પ્રતિકકુમાર બારોટ અને કાલોલ તાલુકાની મહાસંઘ ની તમામ ટીમના કાર્યકર્તા ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ હતા. મહાસંઘ કાલોલ ની પ્રથમ ટર્મ પૂર્ણ થતાં જૂની કારોબારી ને બરખાસ્ત કરી નવીન કારોબારી ના હોદ્દેદારો ની જવાબદારીઓ ની જાહેરાત સંઘચાલકજી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા જાહેર કરવામાં આવેલ હતી.જેમાં કુલ ૨૫ કાર્યકર્તા ઓ ને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી તેમજ જિલ્લા કક્ષાની ટીમમાં જિલ્લા કારોબારી સભ્ય તરીકે ૧૪ કાર્યકતા ઓ ને જવાબદારી સોંપેલ હતી જેમાં ૩ મહિલાઓને પણ
મહિલા સવર્ગ ની જવાબદારી સોંપવામાં આવેલ હતી.કાર્યક્રમ માં પુનઃ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલ વિનોદકુમાર અમીન દ્વારા તમામ મહાનુભાવો નો પરિચય તથા સ્વાગત કરવામાં આવ્યું અને તાલુકા ના પડતર પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી.નવ નિયુક્ત મંત્રી રમેશભાઈ પટેલ દ્વારા સમગ્ર કારોબારી બેઠક સફળ આયોજન કરવામાં આવેલ હતું.