દાહોદ, સાગર કડકિયા :-
મળતી વિગતો મુજબ
મધ્યપ્રદેશ ના ઝાબુઆ જિલ્લા થી સ્કોડા કાર દાહોદ તરફ આવી રહી હતી અને દાહોદ નગર વચ્ચે જ નગરપાલિકા પાસે વર્ષો થી સાબુદાણા ની ખીચડી, ફરાળ અને ગુલાબજાંબુ વેચતા ” છોટુભાઈ ખીચડી ” વાળા ” તરીકે પ્રખ્યાત છોટુભાઈ તેમના પત્ની સાથે જુપિટર સ્કુટી લઈ લખેશ્વરી માતા ના મંદિરે દર્શન માટે જવા નિકળેલા હતા, ત્યારે પરત ફરતી વખતે નડ્યો અકસ્માત.
ત્યારે આરટીઓ નજીક સામેથી આવતી સ્કોડા અને તેઓની ની સ્કુટી વચ્ચે કોઈક કારણસર અથડામણ થતાં અકસ્માત સર્જાયો જેમાં બંને સ્કુટી પર સવાર બંને વ્યક્તિઓ નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે : હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરી છે.