ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે નવીન બનેલા બસ સ્ટેશનનું ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા હસ્તે અને સંતો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું..
ડભોઇ તાલુકાનું તીર્થ કાયાવરોહણ ગામે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બમેશ્વર મહાદેવ ના મુક્તાનંદ મહારાજા અને સ્વામિનારાયણના સંતોની ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા એ જણાવ્યું હતું કે નવીન બસ સ્ટેન્ડ ના કાર્ય થી તમામ નાગરિકોને ઉત્તમ સુવિધા મળી રહેશે આ સાથે સાથે જયંતીભાઈના પરિવારનો ગામ વતી ધારાસભ્ય શ્રી એ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં આવા જ સુંદર કાર્યો કરતા રહેશે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ શ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.