ડભોઇ, (વડોદરા) પ્રવાસી પ્રતિનિધિ :-
એન. એસ. એસ.ના વિધાર્થીઓએ દ્રારા ૧૦૦થી વધુ રાખડીઓ સ્વ હસ્તે બનાવીને ડભોઇ શહેર તથા પોતાના ઞામમાં અનાથ તેમજ બિન બહેનોના ભાઈઓને રાખડી બાંધીને ઉજવણી કરી
રક્ષાબંધન પવૅની ઉજવણીની શરૂઆત મંડળના પ્રમુખ શ્રી સશીકાત પટેલ, મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ તથા કોલેજના આચાર્ય શ્રી ડૉ. કેયૂર કે પારેખને એન.એસ.એસ. ના સ્વયં સેવકો દ્વારા રાખડી બાંધીને કરવામાં આવી હતી. આ ઉપરાંત મંડળ દ્વારા સંચાલિત વિવિધ સંસ્થાના તમામ કમૅચારીઓને પણ રાખડી બાંધી હતી.આ કાર્યક્ર્મ નું સંચાલન એન.એસ.એસ. પોગ્રામ ઓફિસર ડૉ. દિલીપ ઠાકોર, ડૉ.ઇમરાન પઠાણ અને એન.એસ.એસ. ના સ્વયં સેવકો દ્વારા કરવામાં આવ્યુ હતું.