નર્મદા જીલ્લામા આજે વધુ 54 પોઝિટિવ કેસો નોધાયા આ સાથે જ પોઝિટિવ દર્દીનો આંક 3372 ઉપર પહોંચ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

RTPCR ટેસ્ટમાં વધુ ૪૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨ સહિત કુલ-૫૪ પોઝિટિવ કેસ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૦ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૪૧ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૫, હોમ આઇસોલેશનમા ૮૦ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે
૬૩ દરદીઓ સહિત કુલ-૩૦૯ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૮૬,૧૯૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૭૬૦ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૪ થી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૪૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨ સહિત કુલ-૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે નર્મદા જિલ્લા મા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક વધી ને 3372 ઉપર પહોંચ્યો છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૦ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૮૦ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૧ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૫ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૬૩ દરદીઓ સહિત કુલ-૩૦૯ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૧૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૫૯ સહિત કુલ-૧૫૭૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૪ થી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૮૬,૧૯૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૭૬૦ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૪૧૩૪ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૮૮૪૩ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here