નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-
સેવસેતુ કાર્યક્રમ મા 52 પ્રકારની સેવાઓના લાભ સ્થળ પરજ અપાયો”
નસવાડી તાલુકાના સોઢલિયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમને તમામ મહાનુભવોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી અને કાર્યક્રમ માં સ્થળ પરજ બાવન પ્રકારની સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને તમામ મહાનુભાવો માંથી મોટા ભાગના મહાનુભવોએ પ્રવચન પણ કરવામાં આવ્યો હતો અને એમાં જશુભાઈ ભીલે ૧૦૮ એમ્બ્યુલન્સ ને લઈ પ્રવચન કરવામાં આવ્યુ હતુ અને વડાપ્રધાન શ્રી ની પ્રસંશા કરી હતી અને આ સેવાસેતુ કાર્યક્રમ ભાજપ ના રાજ મા શરૂ કરવામા આવ્યુ છે આગળ જે ૬૦ વર્ષ રાજ કરી ગયા તેમને કશું પણ કામગીરી કરી નથી એમ જશુભાઈએ જણાવ્યું હતું
સોઢલિયા ગામ સાથે બીજા ૧૨ ગામ નો સમાવેશ થયો હતો જેમાં સોઢલિયા,ભીલ બોરીયાદ,કોલીબોરીયાદ,રાજપુરા,ચંદનપુરા,હરિપુર(બો),ખડકીયા(બો),મોરા ડુંગર,ખોખરા(બો)કકડવાણી,ધોળી કોતેડી, ખરેડા,હમીરપુરા ગામોનો સમાવેશ થયો હતો અને સેવસેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય અભેસિંહ તડવી જશુભાઈ ભીલ દિનેશભાઈ તીરંદાજ અનિલભાઈ શાહ ગોપાલસિંહ તાલુકા પ્રમુખ રાજુભાઈ વગેરે તમામ મહાનુભવોએ હાજરી આપી હતી અને બધા ભેગા મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,