ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
આવતીકાલે ગોધરા ખાતે મહેસૂલ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનાં કેબિનેટ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીનાં વરદહસ્તે કાયદા વિભાગ હસ્તકનાં ચેરીટી તંત્રનાં જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. ગોધરા સાર્વજનિક કોમર્સ કોલેજ પાછળ, બામરોલી રોડ ખાતે સવારે 11.00 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અતિથી વિશેષ પદે ગુજરાત વિધાનસભાનાં ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય સર્વશ્રી સી.કે.રાઉલજી, શ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રી સુમનબેન ચૌહાણ, ચેરીટી કમિશનરશ્રી વાય.એમ. શુક્લ અને કાયદા વિભાગનાં સચિવશ્રી પી.એમ.રાવલ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.