નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજ રોજ નસવાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો હતો જેમાં પાંચસો જેટલા કાર્યકરો રેલીમા જોડાયા હતા આ રેલી નસવાડી ના જીનના ગ્રાઉન્ડ પરથી કાઢવામાં આવી હતી જેમાં આજુ બાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નસવાડીના મુખ્ય માર્ગો પરથી રેલી નિકળી હતી જેમાં પોલીસ બન્દોબસ ચુસ્ત પણે ગોઠવવામાં આવ્યો હતો અને અને આ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં ગોપાલસિંહ તથા ડી એફ પરમાર તથા રાજુભાઈ એસ રાઠવા વિશાલ જયસ્વાલ તથા મહેન્દ્ર પાઠક તથા પ્રવીણભાઈ તથા જસુભાઈભીલ અને છોટાઉદેપુર વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો અને બજરંગદળ ના કાર્યકરો અને હોદ્દેદારો તથા સાધુસંતો હાજર રહી યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં લોક કલાકાર ઉર્વી રાઠવા અને બીજા કલાકારોએ હનુમાન ભક્તિભર્યા ગીતો ગાયા હતા અને આ વિશ્વ હિન્દુ પરિષદ ની રેલી એસ બી સોલંકી વિદ્યામંદિર ખાતે આવી હતી અને ત્યાં ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી અને કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યુ હતુ.