નર્મદા ડેમમાથી 1 લાખ કયુસેક પાણી છોડવામાં આવસેની SSNL ની જાહેરાત આજ પૂરતી મુલતવી રખાઇ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

આવતી કાલે ડેમમાથી પાણી છોડાસે

નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના નર્મદા નદી કાંઠેના ગામોને સાવધ કરાયાં

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઓમકારેશ્વર ડેમમાથી પાણી છોડતા નર્મદા ડેમ ખાતે પાણીની ભારે આવક થતાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગતરોજ મોડી સાંજે નર્મદા નદીમા 1 લાખ કયુસેક પાણીથી 2 લાખ કયુસેક સુધી પાણી છોડવાની સુચના જાહેર કરાઇ હતી જેને મુલતવી રાખવામાં આવી હોય આજરોજ પાણી છોડાયુ નહોતુ.
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા ડેમની જળસપાટીમા સતત વધારો થતાં જળસપાટી ગતરોજ સાંજે 7-00 કલાકે 129.08 મીટરની સપાટીએ પહોચતા ડેમ ખાતે પાણીની 1.15 લાખ કયુસેકની આવક થતાં 1 લાખથી પણ વધુ 2 લાખ કયુસેક પાણી તા. 26 મી ના સવારે છોડવામાં આવસેની નિગમ દ્વારા જાહેરાત કરાઇ હતી જેને નિગમ દ્વારા આજરોજ સ્થગિત કરવામાં આવી હતી.
નર્મદા ડેમની જળસપાટી મા સતત વધારો થતાં હાલ સપાટી 129.56 મીટરને પણ વટાવી છે ત્યારે આવતી કાલે ડેમના રેડિયલ ગેટ ખોલી નર્મદા નદીમા પાણી છોડવામાં આવસેનુ જાણવા મળ્યું છે.

નર્મદા ડેમમાથી પાણી છોડતા નદી કાંઠેના નર્મદા જીલ્લાના નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના ગામોને સાવધાન કરાયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here