નર્મદા જીલ્લા કિસાન મોરચાની આગેવાનીમા ધોડાદેવી ખાતે મન કી બાતના કાર્યક્રમ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રદેશ ભાજપા કિસાન મોરચાના ઉપાધયક્ષ મહેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ

ભારતીય જનતા પાર્ટી નર્મદા , કિસાન મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી ના મન કી બાત નો કાર્યક્રમ અને વુક્ષા રોપણ નો કાર્યક્રમ સાગબારા તાલુકા ના ઘોડાદેવી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં ગુજરાત કિસાન મોરચા ના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ , નર્મદા જિલ્લા કિસાન મોરચા ના અધ્યક્ષ નિકુંજભાઈ પટેલ, જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી આશિષભાઈ પટેલ તથા કમલેશભાઈ પુરોહિત.ભારતીય જનતા પાર્ટી સાગબારા પ્રમુખ મોતિસિંગભાઈ વસાવા,મહામંત્રી અમિતભાઇ સુર્યવંશી, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી રોહનભાઇ વસાવા, તાલુકા પંચાયત સાગબારા કારોબારી ચેરમેન શ્રીમતી પુર્વી બેન તડવી,ન્યાય સમિતિ ના ચેરમેન શ્રીમતી ચંદા બેન વસાવા, સાગબારા ના માજી સરપંચ સોનસિંગભાઈ તડવી , દિપકભાઈ,સુનિલભાઈ, વિશાલ ભાઈ ,તથા ગામ ના વડીલો,કાર્યકર્તાઓ હજાર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here