દાખલા કઢાવવા ગયેલ પત્નિ ઘરે પરત ન ફરતા પતિએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લાના પહાડ ગામની પરિણિતા પોતાના પિયરમાં રતનપુર દાખલા કઢાવવાના પહોંચતા પતિદેવ સહિત પરિજનો દ્વારા શોધખોળ

બબ્બે દિવસ સુધી ભાડ ન મળતા ગુમ થયાની તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના પહાડ ગામ ની પરિણિતા પોતાના પતિ ના ધરે થી દાખલા કઢાવવા નીકળેલ જેના બબ્બે દિવસ સુધી કોઈ પણ પ્રકાર ના વાવડ જ ના મળતા પતિ એ તિલકવાડા પોલીસ મથકમાં પત્નિ ગુમ થયા ની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકા ના પહાડ ગામ ખાતે રહેતા ફરિયાદી જીતેન્દ્ર રમણભાઈ બારીયા ની પત્નિ જોશનાબેન જીતેન્દ્ર બારીયા ઉ.વર્ષ. 30 નાઓની તારીખ 24 મીના રોજ પોતાના પતિના ધરે થી રતનપુર ખાતે તેના પિયરમાં દાખલા કઢાવવા માટે બપોર ના સમય નીકળી હતી. આ મહિલા રતનપુર ખાતે પહોંચી જ નહોતી જેથી પતિ સહિત પરિજનો દ્વારા શોધ ખોળ આરંભી હતી પરંતુ મહિલા ના કોઈ જ વાવડ મળ્યા નહોતા અને મહિલા કયાંક ગુમ થયેલ હોય તેના પતિ એ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તિલકવાડા પોલીસે આ મામલે મહિલા ના ગુમ થયાશી ફરિયાદ નોંધી તેની શોધખોળ આરંભી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here