નર્મદા જીલ્લાના રાણીપરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને “કુપોષણ મુક્ત ભારત”ની મુહિમ માટે ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ રાષ્ટ્રીય એવોર્ડ 2020 માટે 50 દેશોના 101 વ્યક્તિઓની પસંદગી

નમિતાબેન મકવાણાએ “કુપોષણ મુક્ત ભારત” ને અનુલક્ષીને “એક કદમ સ્વસ્થતાકી ઓર” નામના સંશોધાત્મક પ્રોજેકટ બદલ એવોર્ડથી નવાજવામાં આવ્યા

ભારત સરકાર, UNICEF અને સ્વર્ણ ભારત પરિવારના સંયુક્ત ઉપક્રમે “કુપોષણ મુક્ત ભારત” અને “કુપોષણ મુક્ત વિશ્વ” ની એક મુહિમ ચલાવાઈ રહી છે. નીતિ આયોગ દ્વારા સ્વર્ણ ભારત પરિવારના અલગ અલગ સામાજિક કાર્યોને જોઈ સરકારે સ્વર્ણ ભારત પરિવારને એક પત્ર પણ લખ્યો હતો કે “કુપોષણ મુક્ત ભારત” ના કાર્યક્રમને આગળ વધારે. એ સાથે જ સ્વર્ણ ભારત પરિવારને નક્કી કર્યું કે આ કાર્યને વિશ્વ કક્ષાએ લઈ જઈ વિશ્વને કુપોષણ મુક્ત બનાવવા મુહિમ ચલાવશે.સ્વર્ણ ભારત પરિવારના ઓવરસિઝ હેડ રાકેશ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે 50 થી વધુ દેશોએ અમારી આ મુહિમમાં ભાગ લીધો હતો.”કુપોષણ મુક્ત ભારત” અંતર્ગત સારી કામગીરી કરનાર સેવાભાવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા સ્વર્ણ ભારત પરિવાર દ્વારા ડો.એ.પી.જે.અબ્દુલ કલામ રાષ્ટ્રીય એવોર્ડ 2020 નું આયોજન દિલ્હી ખાતે કરાયું હતું.જેમા નર્મદા જીલ્લા ની શિક્ષીકા એ એવોર્ડ પ્રાપ્ત કરી જીલ્લાનુ નામ રોશન કર્યું છે.

“સ્વર્ણ ભારત પરિવાર” દ્વારા કોરોના મહામારીને લીધે “ગૂગલ મીટ” ના માધ્યમથી એક વેબીનારનું આયોજન કરાયું હતું. જેમાં જેતે દેશના સામાજિક કાર્યકરો, શિક્ષકો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ “કુપોષણ મુક્ત” માટે કરેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું.સ્વર્ણ ભારત મંચ દ્વારા આ માટે 50 દેશમાંથી 101 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા, વેબીનારમાં નર્મદા જિલ્લાના શિક્ષિકા નમિતાબેન મકવાણાએ પણ ભાગ લઈ પોતાની કામગીરી અને પ્રોજેકટ વિશે વિસ્તૃત માહિતી રજુ કરી હતી. એમની માહિતીથી પ્રભાવિત થઇને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાનકડા રાણીપરા ગામ ખાતેની પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષિકા નમિતાબેન મકવાણાએ “કુપોષણ મુક્ત ભારત” ને અનુલક્ષીને “એક કદમ સ્વસ્થતાકી ઓર” નામનો એક સંશોધાત્મક પ્રોજેકટ તૈયાર કર્યો હતો, એમનો આ પ્રોજેકટ જિલ્લાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ માટે પણ પસંદગી પામ્યો હતો.આ જ પ્રોજેકટની નોંધ “સ્વર્ણ ભારત પરિવારે” લીધી હતી અને નમિતાબેન મકવાણાને “કુપોષણ મુક્ત ભારતના” પ્રચાર માટે ડો.એ.પી.જે.અબ્દુલ કલામ રાષ્ટ્રીય એવોર્ડ 2020 થી સન્માનિત કરાયા હતા.અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વના 50 જેટલા દેશો માંથી પસંદગી પામેલ 101 સેવાભાવી વ્યક્તિઓ માંથી અંતરિયાળ આદીવાસી વિસ્તાર એવા નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષિકાની પસંદગી થતા ગુજરાત અને નર્મદા જિલ્લા માટે એ ગૌરવની બાબત હોય ને તેઓએ નર્મદા જીલ્લા નુ રાષ્ટ્રિય કક્ષા એ સન્માન વધાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here